Lok Sabha Election 2024 | ચૈતર વસાવાનો હુંકાર- ભરુચ લોકસભામાં કોઈની તાકાત નથી કે ચૈતર વસાવાને જીતતા રોકે
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ચૈતર વસાવા એ નિવેદન કર્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે. ચૈતર વસાવા ના નિવેદન ની સામે સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે. મનસુખ વસાવા એ ચેલેન્જ કરી કે કેજરીવાલ કે ઇસુદાન ગઢવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સામે વારાણસી થી ચૂંટણી લડી બતાવે. સાંસદે કહ્યું કે ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે એ નવો નિશાળીયો છે . ચૈતર વસાવા ને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું. કોંગ્રેસ અને આપ ના ગઠબંધન ની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ગઠબંધન માં બાળક જન્મે તે પેહલા નામકરણ કર્યું તેવી સ્થિતી નું નિર્માણ થયું છે. અમારે ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી એમણે જે કરવું હોય તે કરે અમેં તો અમારું ઘર સાંભળવા માટે ની તૈયારી હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટી ના લોકસભા ના ઉમેદવારો ડિપોઝીટ ગુમાવશે.