‘અમે અત્યારે નાણા વિનાના નાથિયા જેવા થઇ ગયા છીએ...નીતિન પટેલનો વીડિયો વાયરલ’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના ખોખરા હનુમાન હરિધામ ખાતે આજે વેદ વિધાલય અને સંસ્કૃત મહાવિધાલય તથા ગુરુકુળના નવા ભવનનો ઉદ્ઘાટન પ્રસંગ યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવો તેમજ મહામંડલેશ્વરમાં કનેશ્વરી દેવીના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમને સંબોધતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સત્તામાં હોય કે ના હોય પરંતુ તેને બોલાવે તે મહત્વનું છે મંદિરનું જયારે તેમને આમંત્રણ મળ્યું ત્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા અને બાદમાં પરિસ્થિતિ બદલાઈ હતી છતાં માતાજીએ તેઓને ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાનું જ છે તેવું આમંત્રણ આપતા તેઓ આજે આવ્યા છે. તેમણે હસતા હસતા કહ્યું હતું કે અમે અત્યારે નાણા વિનાના નાથિયા જેવા થઇ ગયા છીએ.