ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા, સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સારા ભાવ જોઈને ખેડૂતોએ ડુંગળી વાવી અને ઉત્પાદન પડતર કરતા નીચા ભાવે વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા. હાલમાં ખેડુતોને એક મણ ડુંગળીના 125 થી 150 માંડ માંડ મળે છે. 15 દિવસ પહેલા ડુંગળીના 400 થી 450 મળતા હતા. તો લાલ ડુંગળીના ભાવમાં પણ 50 ટકા ઘટ્યા. મહારાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની આવકો થતા દેશના અન્ય રાજ્યોમાં માંગ ઘટતા સૌરાષ્ટ્ના ખેડૂતોને ઓછા ભાવ મળે છે.