ફક્ત 50 મણ ખરીદીની સરકારની જાહેરાતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2021 03:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ૧૮ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે. બીજી તરફ સરકાર દ્વારા ચણાની પ્રતિ ૨૦ કિલોના ૧૦૨૦ ના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે માત્ર 50 મણ એક ખેડૂત પાસેથી ખરીદવાનો પરિપત્ર કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ સરકારે ચણાની ૧૨૫ મણ ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ માત્ર ૫૦ મણ ખરીદીનો નિર્ણય કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે