અરવલ્લીઃ મોહનપુરથી કૃષ્ણપુરાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં, ખેડૂતોએ રસ્તા પર બેસી રામધૂન યોજી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા મોહનપુરથી કૃષ્ણપુરા તરફ જતો ૭ કિલોમીટરનો રસ્તો બિસ્માર બનતા આ વિસ્તારના ૧૦ ગામોના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રમાં વારંવાર રજૂઆતો કરી થાકી ચુકેલા ખેડૂતોએ અંતે રસ્તા ઉપર રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો હતો. આ રસ્તો છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમયથી બિસ્માર હાલતમાં છે. રસ્તો બિસ્માર થતા કૃષ્ણપુરા ગામના ખેડૂતો સહિતના ૧૦ ગામોના ૧૦ હજારથી વધુ ખેડૂતો વર્ષોથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.