સુરેન્દ્રનગર: ઑક્સિજનની અછતને લઈ દર્દીના પરિવારજનોએ મચાવ્યો હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Apr 2021 08:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર જિલ્લા માં ઓક્સિજન બાબતે હોબાળો થયો હતો. ગઈકાલે સવારે સામાજીક સંસ્થાઓ અને ખાનગી દર્દીઓ માટે તંત્ર દ્વારા ઓક્સિજન સિલિન્ડર રિફીલીગ બંધ કરવાનો નિર્ણય લીધા બાદ મોડી રાત્રે ફરી રિફીલીગ માટે મંજુરી આપવામાં આવી અને નિર્ણ લેવાયો કે 10 ટકા ઓક્સિજન હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અપાશે...જેનાથી વહેલી સવારથી 200 થી વધુ પરિવારજનો ઓક્સિજન સિલેન્ડર લઈ રિફીલીંગ માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. જો કે તંત્રનો આદેશ રીફિલિંગ પ્લાન્ટ સુધી નહી પહોંચતા પ્લાન્ટ દ્વારા કોઈને રીફિલિંગ કરી આપવામાં ન આવતા પરિવારજનો રોષે ભરાયા હતા...વહેલી સવારથી કલાક સુધી લાઈનમાં ઉભેલા પરિવારજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો..