કોરોનાના કારણે આઠ મહિના બાદ ખુલ્યું વીરપુરનું અન્નક્ષેત્ર, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કારણે આઠ મહિનાથી બંધ વીરપુરનું અન્નક્ષેત્ર ફરીવાર ખોલવામાં આવ્યું છે. ટોકન આપી મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અન્નક્ષેત્રમાં એક સાથે 1200 લોકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જલારામ બાપાના દર્શન માટે આવતા લોકો માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. વીરપુર ખાતે તો છેલ્લા બસો વર્ષથી સદાવ્રત ચાલી રહ્યું છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું.
Continues below advertisement