ગુજરાતમાં શા માટે લાદવું જોઈએ 3 સપ્તાહનું લોકડાઉન ? IMA રાજકોટના પ્રમુખે રેમડેસિવીર વિશે શું કહ્યું ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની વર્તમાન સ્થિતિને લઈ IMA રાજકોટના પ્રમુખ પ્રફુલ કમાણીએ કહ્યું કે, કોરોનાની બીજી લહે (Corona Second wave) પહેલા કરતા 10 ગણી વધારે જોખમી છે. વાયરસે પોતાની તીવ્રતા બદલી નાખી છે, ખાસ કરીને યુવાનો એટલે કે 30 થી 50ની વચ્ચેના ઉંમરના લોકો માટે આ ખૂબજ જોખમી રોગ છે અને તરતજ ન્યૂમોનિયા થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાની ચેન તોડવા 14 દિવસ ની જરૂર પડે છે ત્યારે 2 થી 3 સપ્તાહનું લોકડાઉન એક માત્ર વિકલ્પ. કોરોનાની ચેન તોડવા લોકડાઉન જરૂરી છે. કેસ વધી રહ્યા છે તેમજ ઈન્જેકશન પૂરતા નથી મળી રહ્યા તેથી મોત વધી રહ્યા છે.