કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે આતંકવાદી જેવું વર્તન કરે છેઃ વિપક્ષ
સતત પાંચમાં દિવસે દિલ્હીની સરહદ સિંધુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન યથાવત છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હીના બુરાડીના નિરંકારી ગ્રાઉંડમાં પ્રદર્શન કરવાની મંજૂરી મળી છે. વિપક્ષે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે આતંકવાદી જેવું વર્તન કરે છે.