Kerala Heavy Rain | વાયનાડથી અત્યાર સુધીમાં 170થી વધુ લોકોના મોત, અનેક વિસ્તારોનો તૂટ્યો સંપર્ક
abp asmita
Updated at:
01 Aug 2024 01:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરળના વાયનાડમાં પ્રચંડ ભૂસ્ખલન બાદ સર્જાયેલા વિનાશ બાદ આજે બીજા દિવસે પણ રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 167 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં બે દિવસ શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વાયનાડના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી વાયનાડ જવા માટે રવાના થયાં છે.
બચાવ કામગીરી પર દેખરેખ રાખતા રાજ્ય સરકારના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનથી મૃત્યુઆંક 174 પર પહોંચી ગયો હતો, જ્યારે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સ્થાનિક સ્વયંસેવકો સાથે મળીને શોધખોળ કરી રહી હતી ત્યારે લગભગ 170 લોકો ગુમ થયા હતા. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે ભૂસ્ખલનનો ભોગ બન્યા બાદ 1,592 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.