‘નિવાર’નો ખતરો: તામિલાનાડુ-પુડ્ડુચેરીના કિનારે આજે ટકરાશે ‘નિવાર’ વાવાઝોડું
Continues below advertisement
દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી અને ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં આજે સાંજે ‘નિવાર’ નામનું વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેનાથી કિનારાના વિસ્તારોમાં 100થી 110 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 14 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણેય રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાનું કામ શરુ કરી દેવાયું છે. PM મોદીએ ત્રણેય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને શક્ય એટલી મદદની ખાતરી આપી છે.
Continues below advertisement