ગોબરમાંથી ચીપ બનાવવાના રાષ્ટ્રીય કામધેનુ આયોગના દાવાને વિજ્ઞાન જાથાએ ખોટો ગણાવ્યો
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેયરમેન ડૉ. વલ્લભ કથીરિયાએ ગોબરમાંથી ચીપ બનાવવાના કરેલા દાવાને વિજ્ઞાન જાથાને ખોટો ગણાવ્યો હતો.વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યું હતું કે આવી કોઈ વસ્તુ શક્ય જ નથી. રાષ્ટ્રીય કામધેનુ આયોગ લોકોને ભ્રમિત કરે છે. વિજ્ઞાનજાથા સમગ્ર મામલાનો પર્દાફાશ કરશે.