અહમદભાઈ રાજનેતા કરતા લોકનેતા વધુ હતા, તેમના જવાથી પાર્ટીને સૌથી મોટુ નુકસાન: અમિત ચાવડા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોંગ્રેસના દિગ્ગજનેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના નિધન અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અહમદભાઈ રાજનેતા કરતા લોકનેતા વધુ હતા. હંમેશા દેશ અને રાજ્યના વિકાસની ચિંતા કરનારા નેતા હતા. પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને લોકોની ચિંતા કરનારું વ્યક્તિત્વ એટકે અહમદ પટેલ. દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે નિધન થયુ હતું. અહેમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી હતી.