રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે અલગ અલગ નોટિફિકેશન બહાર પડતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Dec 2020 12:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતના રાજ્યસભાના બે સાંસદોના નિધન બાદ બંને બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે બે અલગ અલગ નોટિફિકેશન બહાર પડતા કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ભારત સરકારના દબાણમાં આવીને કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે..ઉપરાંત ચૂંટણીપંચે આગાઉ પણ નિયમોને વિપરીત કાર્ય કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. બે બેઠકોના અલગ અલગ નોટિફિકેશનના કારણે કોંગ્રેસ એકપણ બેઠક ન જીતી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.... ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજન નિધનથી આ બંને બેઠકો ખાલી પડી છે..