રાજકોટ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Nov 2020 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.