અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં દુર્ઘટના, છનાં મોત, જુઓ વીડિયો 

Continues below advertisement

અમદાવાદના નાનુકાકા એસ્ટેટમાં બનેલી દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને FSLની ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં બેદરકારી દાખાવનાર સામે કાર્રવાઈ થશે. કાટમાળમાં દટાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની કામગીરી યથાવત છે. દુર્ઘટના બની તે ફેક્ટરી 30 વર્ષ જૂની છે. જેમાં કાપડ રાખવાનું ગોડાઉન હતું. આગની લપેટ અને ગરમી વધતા બોઈલરમાં બ્લાસ્ટ થતા દિવાલ ધરાશાયી થઈ હતી અને  તેમાં લોકો દટાયા હતા. દુર્ઘટના સમયે 30 લોકો હાજર હતા પણ અન્ય લોકો ફેક્ટરીની પાછળ દોડી જતા તેમના જીવ બચી ગયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram