Surat Crime | સુરતમાં પત્નીની ક્રૂર હત્યા, છરીના 11 ઘા મારીને પતાવી દીધી

Continues below advertisement

સુરતના ડીંડોલીમાં પત્નીની હત્યાનો કેસ: પતિએ ક્રૂરતાથી 11 ઘા મારીને મોતને ઘાટ ઉતારી, પછી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં પત્નીની હત્યાના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. પતિએ ક્રૂરતાથી તમામ હદ પાર કરી હોવાનું સામે આવ્યું છે. ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ આ બાબતે પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

પતિ રતનભાઈએ પત્નીની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. મહિલાનું નામ નંદાબેન નિમચો હોવાનું સામે આવ્યું છે. ડીંડોલી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram