Surat માં મહિલાઓના રોષનો ભોગ બન્યા ભાજપના ઉમેદવાર, લેખિતમાં લીધી બાંહેધરી
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે ઉમેદવારો મતદાતાઓના નતમસ્તક થઈ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના શહેર સુરતમાં વોર્ડ નંબર 25માં ભાજપના ચાર ઉમેદવારો કવિતા એનાગંદુલા, કાંતા વાંકોડીકર, ભુષણ પાટીલ અને વિક્રમ પાટીલ મતદારોને રિઝવવા અને મત માંગવા માટે પહોંચ્યા હતા. પણ ભાજપના આ જ ચારેય ઉમેદવારોને સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યુ. સ્થાનિકોએ ચારેય ઉમેદવારોને ઉધડા લીધા હતા અને પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના મુદ્દે ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ સવાલો કર્યા. સ્થાનિકોએ ચારેય ઉમેદવારો પાસે લેખિતમાં કામ કરાવવાની બાંહેધરી પણ લીધી હતી. સ્થાનિકોને પાટીલના ભાજપના ઉમેદવારો પર વિશ્વાસ જ નહોય તેમ પાંચ વર્ષનો હિસાબ કિતાબ સમજાવીને લેખિતમાં જ બાંહેધરી લીધી હતી.
Continues below advertisement