'કેમ બેન આપ એસી ઓફિસમાં બેઠા રહો છો, કેમ તમને સુરત નથી દેખાતું'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Apr 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં કોરોના(Gujarat Corona)એ કાળો કેર વર્તાવ્યો છે. ગુજરાતના એક જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે, કોરોના કાળમાં સુરત(Surat)માં દરરોજ 240 લોકોનો મોત થતા હોવાનો સૂર તીવ્ર બની રહ્યો છે. સુરતમાં હોસ્પિટલોની સાથે સાથે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર (last funeral) માટે લાઇન લગાવી રહી છે. સ્મશાનો પણ લાશોથી ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની લાશો ઉપાડવામાં બે કલાકનું વેઇન્ટિંગ છે. સુરતના સ્મશાનોમાં વેઇટિંગ છે. સુરતથી લાશો અંતિમવિધિ માટે બારડોલી લઈ જવી પડી રહી છે.