સુરતઃ FRC નોડલ ઓફિસર વિરુદ્ધ એપેડેમિક એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવા કોણે કરી અરજી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Dec 2020 10:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં વાલી મંડળના પ્રમુખે FRC નોડલ ઓફિસર વિરુદ્ધ એપેડેમીક એકટ અંતર્ગત ફરિયાદ નોંધવા ઉમરા પોલીસમાં અરજી કરી છે. નોડલ ઓફિસર ભાવના બેન ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધવા વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે અરજી કરી છે. FRC નોડલ ઓફિસર ભાવના ચૌધરી અને સ્ટાફ માસ્ક પહેરેલા ન હોવાના પુરાવા રજૂ કર્યા છે. FRC નોડલ ઓફિસરે વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલ વિરુદ્ધ કોરોના ફેલાવવા અંગે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ ઉમેશ પંચાલની ઉમરા પોલીસે ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતાં. જે બાદ હવે વાલી મંડળના પ્રમુખે ઉમરા પોલીસમાં પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી છે.