સુરતના છેવાડાના તાલુકાઓમાં વધ્યા દીપડાના હુમલા, માનવ વસાહતથી દુર રાખવા ગ્રામજનોનું પ્રાંતને આવેદન

Continues below advertisement
માંગરોળ ,માંડવી અને ઉમરપાડા તાલુકા માં વધી રહેલા દીપડા ના ત્રાસ ને લઈ આ તાલુકાના ગામડાના લોકો એ આપ્યું પ્રાંત ને આવેદન , દીપડો માનવ વસાહત થી દુર રહે એ માટે જંગલ માં પાણી ખોરાક ની સુવિધા કરવા કરાઈ માંગ

સુરત જિલ્લા ને છેવાડે આવેલા માંગરોળ ઉમરપાડા અને માંડવી તાલુકા માં છેલ્લા કેટલાક સમય થી દીપડા દ્વારા હુમલાની ઘટના ઓ બની રહી છે ,હાલ થોડા દિવસ પહેલાજ માંડવી તાલુકા ના મધરકુઈ ગામે આંગણ માં રમી રહેલી આદિવાસી પરિવારની ચાર વર્ષીય બાળકી પર હુમલો કરી બાળકી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી જ્યારે થોડા મહિના અગાઉ પણ માંડવી તાલુકા ના પાતલ ગામે પણ એક 6 વર્ષીય બાળકી પર હુમલો કરી બાળકી નું મોત નિપજાવ્યું હતું થોડો સમય પહેલા બનેલી ઘટના અને હાલમાજ બનેલી મધરકુઈ ગામની ઘટના ને લઈ ગ્રામજનો માં ભય સાથે સાથે પ્રશાશન પ્રત્યે રોષ પણ દેખાય રહ્યો છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram