પાટીદાર અનામત આંદોલન સમિતિમાં અસંતોષ, કેટલાક PAAS નેતાઓ આપી શકે છે રાજીનામા

Continues below advertisement
કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ બેઠક કર્યા બાદ હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ ભંગાળના આરે આવી ગઇ છે. હાર્દિક પટેલની આગેવાનીમાં બનેલી આ સમિતિમાં વિરોધના સૂર ઉઠ્યા છે.

એક સૂત્રના કહેવા પ્રમાણે, પાસના નેતાઓમાંથી કેટલાક આજે રાજીનામા પણ આપી શકે છે.  પાટીદાર કોરકમિટીના સભ્ય દિનેશ બાંમણીયા, વરુણ પટેલ,મનોજ પનારાએ ભરતસિંહ સોલંકી સાથે બેઠક યોજી હતી. બાદમાં રેશ્મા પટેલે અન્યાય થયો હોવાનું કહ્યું હતું. હાલમાં બનેલી આ સમિતિને વિખેરીને નવી સમિતિ બનાવવાનો તખ્તો પણ તૈયાર થયો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram