ત્રિપલ તલાક પર શું બોલ્યા વડાપ્રધાન મોદી, મુસ્લિમ મહિલાઓ અંગે શું આપ્યુ નિવેદન

Continues below advertisement

નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના બુદેલખંડના મહોબામાં એક જાહેર સભાને સંબોધી હતી. તેઓ અહીં 1500 કિમી લાંબી ગેસ પાઈપલાઈન સહિત અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી. આ સભામાં મોદીએ સમાજવાદી પાર્ટી અને બસપા પર દેશને લૂંટવાના આરોપ લગાવ્યા હતા. 

વધુમાં તેમણે કહ્યું કે,  એક પાર્ટી પરિવારને બચાવવામાં લાગેલી છે. બીજી પાર્ટીને ગમે-તેમ કરીને સત્તા પર પહોંચવું છે. જ્યારે અમને યુપીના વિકાસની ચિંતા છે. મોદીએ ત્રિપલ તલાકની વાત છંછેડી હતી. તેમણે કહ્યું કે, ત્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટે અમને પૂછ્યુ તો અમે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સંપ્રદાયના આધાર પર ભેદભાવ થવી જોઇએ નહીં. કેટલીક પાર્ટીઓ વોટના ચક્કરમાં મુસ્લિમ બહેનોની સાથે અન્યાય કરી રહી છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram