રાજકોટઃ કાર અકસ્માતમાં એક જ પરિવારના આઠના મોત, DCPએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2018 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટ: રાજકોટ પાસે ટંકારા-કાગદડી વચ્ચે મંગળવારે રાત્રે બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. કારમાં બેઠેલા રાજકોટના કલાડિયા પરિવારના પાંચ સભ્યો અને ગ્વાલિયરથી આવેલા તેમના સંબંધી દંપતી સહિત આઠનાં મોત નિપજ્યા હતા.