બબાલ કરનાર શિવસેનાના સાંસદને હવાઇ મુસાફરી પર પ્રતિબંધ લાગતાં કરવી પડી ટ્રેનમાં મુસાફરી, જાણો શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્લીઃ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બબાલ કરી ચર્ચામાં આવેલ શિવ સેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર એર ઇન્ડિયા સહિત અન્ય ફ્લાઇટોમાં યાત્રા પર રોક લગાવી દેવા મા આવી છે. આથી શિવ સેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે દિલ્હીથી મુંબઈ ટ્રેનમાં જવાની ફરજ પડી હતી. રવિન્દ્ર ગાયકવાડે દિલ્હીથી મુંબઇ અગસ્ત ક્રાંતિ એક્ષપ્રેસ ટ્રેનના A1 ડબ્બામાં સફર કરી હતી. આથી દરેક રેલ્વે સ્ટેશનો પર ટ્રેનમાં સફર કરી રહેલ રવિન્દ્ર ગાયકવાડની પ્રતિક્રિયા જાણવા મીડિયા પહોચ્યું હતું. વાપી રેલ્વે સ્ટેશન પર પણ અગસ્ત ક્રાંતિ ટ્રેન આવતા મીડિયા A1 ડબ્બામાં પહોંચતા રવિન્દ્ર ગાયકવાડ પોતાની સીટ પરથી ગાયબ થઈ ગયા હતા અને મીડિયાથી બચવા પ્રયાસ કર્યો હતો. બાથરૂમમાં ઘૂસી ગયા હોવાની ચર્ચા જાગી હતી.