'પાસ'ના કાર્યકરે ભાજપના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પર ફેંક્યું જૂતું, જુઓ કેવી મચી અફડાતફડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરઃ ભાવનગરના વલભીપુરમાં એક કાર્યક્રમાં હાજરી આપવા આવેલા કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા પર એક યુવકે બૂચ ફેંકતા હોબાળો મચી ગયો હતો. મનસુખભાઇ લોકોને મોક્ષરથની સુવિધા મળે તેના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, બૂટ ફેંકનાર યુવક તરસમીયા ગામનો છે. બૂટ ફેંક્યા બાદ લોકોએ યુવકે માર માર્યો હતો.
વલભીપુરમાં મોક્ષરથના લોકાર્પણ કાર્યક્રમમાં તરસમિયા ગામના પાસના કન્વીનર ભાવેશ સોનાણીએ સ્ટેજ નજીક જઇ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા ઉપર બૂટના ઘા કર્યો હતો. જોકે બંદોબસ્તમાં રહેલી પોલીસે બૂટ ફેંકનાર ભાવેશ સોનાણીની અટક કરી મામલો કાબૂમાં લીધો હતો.