રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના વેતનમાં કર્યો વધારો, જાણો કેટલો પગાર વધશે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2017 06:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: આગણવાડી અને આશાવકર્સ બહેનો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે આશા વકર્સ અને આંગણવાડી બેહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે આશાવકર્સ અને આંગનવાડી બહેનો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આશાવકર્સ બહેનોને 30 ટકા માનદ વેતન આપવાની જાહેરાત કરી છે. 1 એપ્રિલ 2017થી આ જાહેરાત અમલી બનશે. સાથે બહેનોને છેલ્લા ચાર માસનું એરિયર્સ પણ આપવામાં આવશે. આ નિર્ણયથી સરકાર પર 40થી 45 કરોડનો બોઝો પડશે.