સુરતઃ પતિના મોતથી દુખી પત્નીએ પાંચમા માળે લગાવી છલાંગ, CCTV જોઇ કંપારી છૂટી જશે

Continues below advertisement

સુરતઃ સુરતમાં તિરુપતિ સાડીના માલિક આનંદ સુરેકાનું હિટ એન્ડ રનમાં મોત થયા બાદ પત્નીએ પણ મોતની છલાંગ લગાવી હતી. આનંદ સુરેકાના મોતથી શોકમગ્ન બનેલ તેમના પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. 

નોંધનીય છે કે શુક્રવારે રોડ અકસ્માતમાં આનંદ સુરેકાનું મોત થયું હતું. આજે તેમના પત્ની શ્વેતા સુરેકાએ પાંચમા માળેથી ઘરના બાથરૂમમાંથી છલાંગ લગાવતા તેમનું મોત થયું હતું. પત્ની શ્વેતાબેને સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા સૂર્ય પ્લાઝાના પાંચમાં માળેથી છલાંગ લગાવી હતી.  

જેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માત્ર ત્રણ દિવસના અંતરે માતાપિતાનું મોત થયા બે બાળકો નિરાધાર બન્યા હતા. બે દિવસ પહેલા તિરૂપતિ સાડીના માલિક આનંદ સુરેકાનું હિટ એંડ રનની ઘટનામાં મોત થયું હતુ..પતિના મૃત્યુ બાદ શ્વેતાબેન શોકમગ્ન રહેતા હતા.જે બાદ તેમણે અંતિમ પગલું ભર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram