તારક મહેતાનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લવાયો, કરાશે દેહદાન, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ પ્રસિદ્ધ હાસ્યલેખક તારક મહેતાનું નિધન થયું છે. તારક મહેતા છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. આ લાંબી બીમારીમાં તેમનું અમદાવાદ ખાતે નિધન થયું છે. નોંધનીય છે કે, પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી ફિલ્મ પણ બની છે. ત્યારે તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. તેમના નિધનથી સાહિત્ય જગતમાં દુઃખની લાગણી ફરી વળી છે. બીજી તરફ એવી પણ માહિતી છે કે, પરિવારે તેમના દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram