અમદાવાદઃ ગૌશાળા વિવાદ મુદ્દે ઠાકોર સેનાનો વિરોધ, ભાજપના નેતાની ઘર સામે ગાયો સાથે વિરોધપ્રદર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ બનાસકાંઠામાં પાણી અને ઘાસચારાની અછતને પગલે ગૌશાળા અને પાંજરાપોળને રાહત આપવા મુદ્દે ઠાકોર સેનાએ આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ઠાકોર સેનાના કાર્યકરો ગૌ સેવા આયોગના વાઇસ ચેરમેન અને ભાજપના નેતા ચૈતન્ય શંભૂ મહારાજના નિવાસ સ્થાને ગાયો લઇ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠામાં ગાયોને લઇને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ઠાકોરે પણ ગાયોના મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.