ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

તે ઈન્દોરમાં રહેતી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે.

ઠક્કરે તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી

આ સીરિયલમાં તેણે સંજનાનું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તેણે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી

વૈશાલીએ ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે.

વૈશાલી 'યે હૈ આશિકી' શોમાં પણ જોવા મળી હતી.

વૈશાલી 'સસુરાલ સિમર કા' શોમાં તેના પાત્ર અંજલિ ભારદ્વાજ માટે જાણીતી હતી.

તેને 'સસુરાલ સિમર કા' શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી

આ સિવાય વૈશાલીએ 'સુપર સિસ્ટર', 'મનમોહિની સીઝન 2'માં પણ શાનદાર કામ કર્યું હતું.

વૈશાલી છેલ્લે ટીવી શો 'રક્ષાબંધન'માં જોવા મળી હતી.