અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે સ્ત્રીઓ ઘણીવાર ગર્ભનિરોધક ટેબલેટ્સનો ઉપયોગ કરે છે.



ડૉક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો યોગ્ય છે નહીં તો તેનાથી નુકસાન થઇ શકે છે



તેના અનિયમિત ઉપયોગથી ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે



એવું માનવામાં આવે છે કે ગર્ભનિરોધક ગોળીઓનો વધુ પડતો ઉપયોગ લોહી ગંઠાઈ જવાની સમસ્યાનું કારણ બને છે.



પરંતુ જો આ દવાઓ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો આડઅસર કરી શકે છે.



આ દવાઓના વધુ પડતા ઉપયોગથી માથાનો દુખાવો, સોજો, પેટમાં દુખાવો અને વજન વધવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.



અનેક ગર્ભનિરોધક દવાઓ લોહીના ગંઠાઈ જવાના જોખમને વધારી શકે છે. જો કે તેની શક્યતાઓ ઘણી ઓછી છે



પરંતુ આ જોખમ એવી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે જેઓ ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોય



આ દવાઓ લેવાથી હોર્મોન્સમાં ઝડપથી ફેરફાર થાય છે, જેના કારણે ગર્ભાવસ્થા શક્ય નથી



આ દવાઓ લેવાથી પણ લોહી ગંઠાઈ જવાનું જોખમ 3 ગણું વધી જાય છે