દેહરાદૂનઃ ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક માથા ફરેલા પતિએ પોતાના આખા ઘરેને મોતને ઘાટ ઉતારી દીધા છે. દેહરાદૂનના ડોઇવાલા વિસ્તારમાં એક માથા ફરેલા શખ્સે એકસાથે પરિવારના પાંચ સભ્યોનુ ગળુ દબાવીને હત્યા કરી નાંખી છે. આ ઘટના સોમવારે સવારે ઘટી છે, હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 


ઘટના અંગે પોલીસે બતાવ્યુ કે, - દેહરાદૂનના પોલીસ સ્ટેશન રાણીપોખરી વિસ્તારની છે. અહીં શાંતિ નગરમાં રહેતા મહેશ તિવારીએ તેના આખા પરિવારના સભ્યોની હત્યા કરી હતી. પરિવારની હત્યા કરનાર મહેશ યુપીના બાંદા જિલ્લાનો રહેવાસી છે. મહેશે તેના ત્રણ બાળકો સહિત તેની પત્ની અને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીઓએ ઘરના દરવાજા બંધ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. રૂમની અંદર ફ્લોર પર લોહીના છાંટા પડ્યા હતા. લોહીથી લથપથ પાંચ મૃતદેહો અહીં-તહીં જમીન પર પડ્યા હતા. જેણે પણ આ દ્રશ્ય જોયું તે ભયથી ભરાઈ ગયો.


રાણીપોખરી નાગાઘરમાં પરિવારના સભ્યોની હત્યાનો આરોપી ઘણા વર્ષોથી નાગા ઘેરમાં રહેતો હતો. મળતી માહિતી મુજબ, આરોપી પૂજા પાઠ કરતો હતો અને શાંત રહેતો હતો. તેણે આ ઘટના કેવી રીતે અંજામ આપ્યો હશે તે વિચારીને આસપાસના દરેક લોકો ચોંકી જાય છે. તે પાદરી તરીકે કામ કરે છે. તેની માતા માનસિક રીતે અસ્વસ્થ હતી. તેમને અપંગ પુત્રી હતી.


કેસની માહિતી આપતાં એસપી દેહત કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું છે કે હત્યાનું કારણ શું હશે, નિવેદનના આધારે આરોપી પાસેથી માહિતી લેવામાં આવશે. મૃતકોમાં આરોપીની ત્રણ પુત્રીઓ, માતા અને પત્નીનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો........ 


IND vs PAK Asia Cup 2022: ભારતની જીત પર નાચવા લાગ્યા જેઠાલાલ, હાર્દિક પંડ્યાના ફેન થયા સેલેબ્સ, જુઓ વાયરલ મીમ્સ


Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા


Pakistan: પાકિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર, ટામેટા 500 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી સહિત અનેક મહત્વની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા


IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન


PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ