નવી દિલ્હી: રાજધાની દિલ્હીથી જે કોઈને પણ રસ્તા માર્ગે મુંબઈ જવું હોય તો અંદાજે હાલ 24 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ ટૂંક સમયમાં જ આ મુસાફરી તમે માત્ર 12 કલાકમાં જ પૂરી કરી શકશો. સરકાર સાઈબર સિટી ગુરૂગ્રામથી મુંબઈની વચ્ચે એક્સપ્રેસ-વે બનાવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 60,000 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષમાં બની જશે. આ એક્સપ્રેસ-વે દેશના સૌથી પછાત જિલ્લા હરિયાણા અને મેવાત અને ગુજરાતના દાહોદમાંથી પસાર થશે.
ગડકરીએ કહ્યું કે આ સિવાય ગુરૂગ્રામ અને વડોદરાની વચ્ચે હાઈ સ્પીડ રેલવે કોરિડોર પણ બનાવાની પણ તૈયારી છે.
આ ઉપરાંત ગડકરીએ કહ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પ્રસ્તાવિત ચંબલ એક્સપ્રેસ-વેને પણ કનેક્ટિવિટી મળી શકશે. આ સિવાય જયપુર, કોટા, સવાઇ માધોપુર, ઉજ્જૈન, ગોધરા અને અમદાવાદ જેવા ડઝન બંધ શહેરોની કનેક્ટિવિટીને પણ શ્રેષ્ઠ કરશે.
નેશનલ હાઈવે બન્યા બાદ કેટલાંય પછાત વિસ્તારો ગુરૂગ્રામની જેમ ચમકી શકશે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક અને નાણાંકીય વિકાસથી નોકરીઓની તકો ઉભી થશે. અત્યારે અમે હાલના હાઈવેને પહોળા કરવાની જગ્યાએ નવા રસ્તાનું નિર્માણ કરવામાં લાગ્યા છીએ.
ગડકરીએ કહ્યું હતું કે, આ એક્સપ્રેસ-વેને બનાવા માટે વડોદરાથી સુરતની વચ્ચે કામ માટે ટેન્ડર રજૂ થઈ ચૂક્યું છે. જ્યારે સુરતથી મુંબઈ માટે ટેન્ડર ટૂંક સમયમાં રજૂ થશે. તેમણે કહ્યું હતું કે, આ એક્સપ્રેસ-વે રાજસ્થાન, હરિયાણા, અને મધ્યપ્રદેશના પછાત જિલ્લાઓના વિકાસની દ્રષ્ટિથી બનશે.
આ અંગે ગડકરીએ જણાવ્યું હતું કે, આ એક્સપ્રેસ-વે માટે ડિસેમ્બર મહિનામાં કામ શરૂ થઈ જશે અને આગામી ત્રણ વર્ષની અંદર આ માર્ગનું કામ પૂરું થઈ જશે. આ એક્સપ્રેસ-વે ગુરૂગ્રામના રાજીવ ચોકથી શરૂ થશે. ગડકરીએ કહ્યું હતું કે, આ સોહના બાઈપાસના હાલના અલાઈનમેન્ટ પર બનશે અને વડોદરા સુધી લઈ જવામાં આવશે.
આ એક્સપ્રેસ-વે બનતા દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર 1450 કિલોમીટરથી ઘટીને 1250 કિલોમીટર થઈ જશે. એટલું જ નહીં 24 કલાકની જગ્યાએ અંદાજે 12 કલાકમાં પહોંચી જવાશે તેવું માનવામાં આવી રહ્યું છે. જ્યારે અત્યારે દિલ્હીથી મુંબઈ રોડ માર્ગે જવામાં ટ્રાફિક સમસ્યા પણ બહુ જ રહે છે જેના કારણે જે તે સ્થળે પહોંચવામાં મોડું થાય છે.
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
કેટલા કામની છે ભારતીય રેલવેની સુપર એપ, શું શું મળે છે સુવિધાઓ?
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Criminal Laws Implementation: દેશમાં એક જૂલાઇથી લાગુ થશે ત્રણ નવા કાયદાઓ, જાણો શું થશે ફેરફાર?
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત