શોધખોળ કરો
Ayushman Bharat: સાવધાન! કાર્ડ હોવા છતાં અટકી શકે છે મફત સારવાર, જાણો કેમ થાય છે રિજેક્ટ?
Ayushman Bharat card rejected: PMJAY હેઠળ ₹5 લાખનો લાભ લેવો હોય તો આ ભૂલો સુધારી લેજો, આધાર ડેટામાં વિસંગતતા પડશે ભારે.
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારને વાર્ષિક ₹૫ લાખ સુધીનું મફત સ્વાસ્થ્ય કવચ પૂરું પાડવામાં આવે છે, જે ગંભીર બીમારીઓમાં આર્થિક બોજ હળવો કરે છે. જોકે, તાજેતરમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં દર્દી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં પહોંચતા જ તે સ્વીકારવામાં આવતું નથી અથવા સિસ્ટમ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવે છે. આવા સમયે દર્દીના સગા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ સમસ્યાનું મુખ્ય કારણ દસ્તાવેજોમાં રહેલી નાની-મોટી ભૂલો અને ટેકનિકલ વિસંગતતાઓ છે.
1/6

વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગોને શ્રેષ્ઠ અને કેશલેસ સારવાર પૂરી પાડવાનો છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવામાં આવી છે, જેથી કોઈ વચેટિયાની જરૂર ન પડે. પરંતુ, ડિજિટલ સિસ્ટમ હોવાને કારણે અહીં ડેટા વેરિફિકેશનના નિયમો ખૂબ જ કડક છે. જો તમારા આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડની વિગતોમાં જરા પણ તફાવત હોય, તો સોફ્ટવેર તમારી પાત્રતાને માન્ય રાખતું નથી અને કાર્ડ હોવા છતાં સારવાર અટકી શકે છે.
2/6

સૌથી સામાન્ય સમસ્યા 'ડેટા મિસમેચ'ની છે. આયુષ્માન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ એ પાયાનો દસ્તાવેજ છે. જ્યારે તમે કાર્ડ માટે અરજી કરો છો અથવા હોસ્પિટલમાં દાખલ થાવ છો, ત્યારે તમારો ડેટા આધાર સાથે વેરીફાય કરવામાં આવે છે. જો NHA પોર્ટલ પરનો સોર્સ ડેટા (જેમ કે રેશન કાર્ડ કે યાદીનો ડેટા) અને તમારા અસલ આધાર કાર્ડની વિગતો એકબીજા સાથે મેચ ન થતી હોય, તો સિસ્ટમ તમારી અરજી સ્વીકારતી નથી. આ એક ટેકનિકલ બાબત છે જેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
Published at : 16 Dec 2025 07:51 PM (IST)
આગળ જુઓ
Advertisement




















