Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું

Lumpy Virus in Gujarat : ગુજરાત સરકારે હવે લમ્પી વાયરસની તપાસ માટે સાત સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે.

Continues below advertisement

Gandhinagar : પશુપાલન મંત્રી રાઘવજી પટેલે બુધવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ ના ફેલાવાને રોકવા માટે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેવલવા હેઠળ સાત સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. ગુજરાતમાં રોગના વ્યાપ વિશે અપડેટ આપતી સત્તાવાર રજૂઆતમાં, મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે બુધવારે સવારે રાજ્યમાં લમ્પી વાયરસના 744 નવા કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે રાજ્યના 23 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12માં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.

Continues below advertisement

રોગના ફેલાવાને રોકવા માટે લેવાયેલા પગલાં
આ અંગેની પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે ટાસ્ક ફોર્સ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સારવાર પર નજીકથી નજર રાખી રાખશે  અને રોગ વધુ ન ફેલાય તે માટે માર્ગદર્શન આપશે. પ્રેસનોટ મુજબ, 76,154 પશુઓ  આ રોગથી પ્રભાવિત થયા છે, જેમાંથી 54,025 સાજા થઈ ગયા છે અને 19,271 સારવાર હેઠળ છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં 2,858 પશુઓના મોત થયા છે. અસરગ્રસ્ત પ્રાણીઓને ચેપ ન લાગે તે માટે 31.14 લાખથી વધુ પ્રાણીઓને રસી આપવામાં આવી હતી.

કચ્છની ખરાબ હાલત
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો કચ્છ છે, જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે પછી બનાસકાંઠા (8,186), દેવભૂમિ દ્વારકા (7,447), જામનગર (6,047) અને રાજકોટ (4,359) આવે છે. કુલ 23 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી, આઠ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રાણીઓની સારવાર ઝડપી બનાવવા માટે ટોચના અધિકારીઓ સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

વડોદરામાં પશુઓની અવરજવર પર પ્રતિબંધ
વડોદરા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં એક ગામથી બીજા ગામમાં ઢોરની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર 8મી ઓગસ્ટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન એક મહિના માટે અમલી રહેશે. તમને જણાવી દઈએ કે પ્રશાસને પહેલાથી જ પશુ મેળા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 વડોદરા જિલ્લાના પડોશી જિલ્લાઓમાં પણ એલએસડીનો પ્રકોપ જોવા મળ્યો છે. અહીં પ્રાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પણ છૂટ નથી. તેવી જ રીતે, જાનવરોનો વેપાર, મેળા અને પ્રદર્શનો તેમજ જાનવરો સાથે સંકળાયેલી કોઈપણ જાહેર પ્રવૃત્તિ અથવા રમત-ગમત જ્યાં સુધી સૂચના અમલમાં ન આવે ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola