દ્વારકાઃ વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા પ્રત્યે અંબાણી પરિવાર અનન્ય શ્રદ્ધા ધરાવે છે ત્યારે નવા વર્ષના અવસર પર દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ પરિવાર સહિત દ્વારકાધીશજીને શિશ ઝૂકાવવા જગત મંદિર આવ્યા હતા. ભગવાનની પાદુકા પૂજન કરી અંબાણી પરિવારે કુંડલાભોગની આરતીના દર્શન કર્યા હતા. દ્વારકાધીશ ભગવાનની 52 ગજની ધ્વજા  પૂજન કરી ધન્યતા અનુભવી હતી.




દ્વારકાધીશ પ્રભુના દર્શનાર્થે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અને શ્લોકા, અનંત અંબાણી, દીકરી ઈશા અને જમાઈ આનંદ પિરામલ આવ્યા હતા.



ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દ્વારકાધીશના અનન્ય ભક્ત છે અને લગભગ દરેક મોટા પ્રસંગે તેઓ અચૂક દ્વારિકાધીશના દર્શનાર્થે આવે છે. નીતા અંબાણી ઘણીવાર દ્વારકાના દર્શને આવતા હોય છે.

Testમાં Best કેમ બની ટીમ ઈન્ડિયા ? શાસ્ત્રીએ ખોલ્યું મોટું રહસ્ય

હાલ ભાજપનો સમય ચાલે છે સમય પૂરો થશે એટલે સત્તા જશેઃ શંકરસિંહ વાઘેલા

વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ

બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા