Rishabh Pant: ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શનથી રિષભ પંતની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. છેલ્લી વન ડે મેચમાં ઋષભ પંતે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને શ્રેણીમાં ભારતે વિજય અપાવ્યો હતો. પરંતુ વનડે સિરીઝ ખતમ થયા બાદ સોશિયલ મીડિયા પર રિષભ પંતનો એક અલગ જ અવતાર જોવા મળ્યો છે. રિષભ પંતે પોતાને પ્રખ્યાત વેબ સિરીઝ મિર્ઝાપુરના મુન્ના ભૈયા તરીકે ગણાવ્યો છે.


 






રિષભ પંતે ટ્વિટર પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પંત ખુરશી પાસે ઉભો છે. આ તસવીરો પોસ્ટ કરતા રિષભ પંતે લખ્યું, "અને અહમ એક નવો નિયમ ઉમેરી રહ્યા છીએ, જે મિર્ઝાપુરની ગાદી પર બેસે છે તે કોઈપણ સમયે નિયમ બદલી શકે છે - મુન્ના ભૈયા."


પંત અદ્ભુત લાગી રહ્યો છે


તમને જણાવી દઈએ કે મિર્ઝાપુર વેબ સિરીઝની બંને સીઝન ખૂબ જ લોકપ્રિય રહી છે. આ જ સિરીઝ દરમિયાન, મુન્ના ભૈયા નામના પાત્રે નિયમ બદલવાવાળો ડાયલોગ બોલ્યો હતો. આ ડાયલોગની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ હતી.


જોકે રિષભ પંતનું નામ પણ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ટેસ્ટ હોય કે ODI-T20, રિષભ પંતે દરેક ફોર્મેટમાં પોતાને ફિટ સાબિત કર્યો છે. હાલમાં, રિષભ પંત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે નંબર વન પરફોર્મર છે. રિષભ પંત પણ પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા ભાવિ કેપ્ટન તરીકે દાવો કરી રહ્યો છે. રિષભ પંતને હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની તક મળી હતી.


આ પણ વાંચો...


GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા


Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત


કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?