ચેન્નઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો પ્રથમ મુકાબલો ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આવતીકાલે રમાશે. રવિવારે બપોરે 1.30 કલાકથી મેચ શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે સીરિઝમાં પણ ભારત જીતની પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે. વન ડે સીરિઝ શરૂ થતાં પહેલા જ ટીમ ઈન્ડિયાને બે મોટા ફટકા લાગી ચુક્યા છે. ઓપનર શિખર ધવન અને સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં સીરિઝમાંથી બહાર થઈ ગયા છે.


કોણ હશે રોહિતનો સાથી?

ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ડાયમંડ નગરી સુરતમાં મહારાષ્ટ્ર સામેની મેચમાં ઘૂંટણમાં ઈજા હતી. જેના કારણે પહેલા તે ટી-20 અને બાદમાં ન ડે સરિઝમાંથી બહાર થઈ ગયો હતો. વન ડે સીરિઝમાં ધવનના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેને ઓપનિંગમાં મોકો મળવાની શક્યતા નહીંવત છે. લોકેશ રાહુલે T20માં ઓપનર તરીકે કરીલી શાનદાર બેટિંગના કારણે વન ડેમાં તેને ઓપનર તરીકે અજમાવવામાં આવી શકે છે.

કોહલી માટે ટીમ પસંદગી મુશ્કેલ હશે

કેપ્ટન વિરાટ કોહલી માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી થોડી મુશ્કેલ હશે. ટીમના બોલિંગ કોચ ભરત અરૂણ પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ એક આદર્શ અને સંતુલિત ટીમ પર ધ્યાન આપી રહ્યા છે. ચેન્નઈની ધીમી પિચને જોતા કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલમાંથી કોને પ્લેઇંગ ઇલેવનમાં મોકો મળે છે તે જોવાનું રહેશે.

વિન્ડિઝ સામે વન ડે સીરિઝ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહક, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર.

રાહુલના નિવેદન પર BJPનો પલટવાર, કહ્યું- 100 જન્મ લેશે તો પણ બનીં બની શકે સાવરકર

AUS vs NZ: ડેવિડ વોર્નરે તોડ્યો ડૉન બ્રેડમેનનો મોટો રેકોર્ડ, જાણો વિગત

ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર........