Hu to Bolish | હું તો બોલીશ | દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્ર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં 24મી મે 2019, કોચિંગમાં ક્લાસમાં આગ લાગી હતી...જેમાં 22 વિદ્યાર્થીઓના કરુણ મૃત્યુ થયા હતા...આ દુર્ઘટનામાં 13 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો....તેમાંથી 12 આરોપીઓ જામીન પર મુક્ત છે....
વડોદરાના હરણી લેક બોટ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો.....આ મુદ્દે રાજ્ય સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો તેને હાઈકોર્ટ સ્વીકરવાનો ઈનકાર કરી દીધો..જેને લઈ સરકારને રિપોર્ટને પરત ખેંચવો પડ્યો...હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી કે, રજૂ થયેલો રિપોર્ટ સંતોષકારક નથી...એટલું જ નહીં.. હાઈકોર્ટે એવી પણ ટકોર કરી કે, વડોદરાના તત્કાલિન મ્યુનિસિપલ કમિશ્નરને બચાવવાનો રિપોર્ટ રજૂ કરાયો હોય... તેવું લાગી રહ્યું છે... અને જૂનિયર અધિકારીઓને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે...રજૂ કરાયેલા રિપોર્ટમાં શબ્દોની માયાજાળમાં સત્યને છૂપાવવાનો પ્રયાસ થતો હોય તેવું કોર્ટે અવલોકન કર્યું...સાથે કોર્ટે ટકોર કરી કે, જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી શકાય નહીં...હાઈકોર્ટે નવેસરથી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો.....હાઈકોર્ટની ટિપ્પણી બાદ એડવોકેટ જનરલે કોર્ટની માફી માગી અને આશ્વાસન આપ્યું કે આ પ્રકારની દુર્ઘટનામાં સરકાર કોઈને છોડવા માગતી નથી.....18 જાન્યુઆરીએ સાંજે સાડા 4 વાગ્યે હરણી મોટનાથ તળાવમાં બોટ પલટી....જેમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા...આ દુર્ઘટનાના 20 આરોપીની પોલીસે ધરપકડ કરી છે...
અગ્નિકાંડનો આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠિયા છ દિવસના રિમાન્ડ પર...ધરપકડ બાદ ACBએ મનસુખ સાગઠિયાને કોર્ટ સમક્ષ રજૂ કર્યો.. સરકારી વકીલે દલીલ કરી કે, જો સાગઠિયા પગારની પુરેપુરી રકમ બચાવે.. તો, પણ તેની પાસેથી મળેલી સંપત્તી ભેગી ન કરી શકે....હજુ સાગઠિયાના બેંક ખાતાની તપાસ પણ બાકી છે....બીજી તરફ અગ્નિકાંડ મુદ્દે તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને તત્કાલિન મનપા કમિશનર આનંદ પટેલનું SITએ ત્રણ કલાક નિવેદન નોંધ્યું...અગ્નિકાંડ મુદ્દે ઉચ્ચ કમિટીનો ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી રિપોર્ટ પણ તૈયાર થઈ ચૂક્યો છે...આવતીકાલે હાઈકોર્ટમાં સરકાર રિપોર્ટ સબમીટ કરશે....વર્ષ 2021માં ખોટી રીતે પરવાનગી અપાઈ હોવાનો ખુલાસો થયો હતો...તે સમયે પરવાનગી આપનાર અધિકારીઓને રિપોર્ટમાં જવાબદાર ગણાવ્યા છે....ફાયર વિભાગ, R&B અને મનપા કમિશ્નરના નિવેદનો લેવામાં આવ્યા છે.....