Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ચેનપુર વિસ્તારમાં ભાજપના ત્રણ કોર્પોરેટર બન્યા જનતાના રોષનો ભોગ...રાણીપ વોર્ડના ભાજપ કોર્પોરેટર દશરથ પટેલ... ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ અને તળાવ આસપાસ સાફ-સફાઈ કરવા પહોંચ્યા હતા..જેની જાણ થતા લોકો દોડી આવ્યા અને ત્રણેય કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરી કે, ચેનપુરનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો તેને 15 વર્ષ થયા, પરંતુ વિકાસના કોઈ કામ નથી થયા...ગામના તળાવ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ હજી ગામનું તળાવ બન્યું નથી...સ્થાનિકોના વિરોધ બાદ ત્રણેય કોર્પોરેટરે ત્યાંથી ચાલતી પકડી....ભાજપના કોર્પોરેટર દશરથ પટેલે પોતાના બચાવમાં દાવો કર્યો કે, શાળા પ્રવેશોત્સવનો સમય થઈ ગયો હતો...એટલે, ત્યાંથી નીકળી ગયા....
અમદાવાદના શેલાની દુર્દશાના આકાશી દ્રશ્યો જોજો....રસ્તા પર છે મસમોટા ખાડા...ફરી વળ્યા છે ગટરના દૂષિત પાણી...ઔડા હસ્તક આવતા શેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે...શેલા વિસ્તારમાં ન તો સારા રોડ રસ્તા છે... ન તો ડ્રેનેજની સુવિધા...અહીં રહેતા રહીશોએ આ વીડિયો બનાવીને વાયરલ કર્યો છે....વીડિયોમાં શેલા વિસ્તારને અર્બન સ્લમ તરીકે ઉપમા અપાઈ છે...બે દિવસ પૂર્વે વરસેલા વરસાદી અને ગટરના ગંદા પાણીનો હજુ પણ ભરાવો છે.... દર વખતે રજૂઆત બાદ પ્રશાસન તરફથી ઠાલા વચનો સિવાય નક્કર કોઈ કામગીરી કરવામાં આવતી નથી... ત્યારે એબીપી અસ્મિતાની ટીમ સમક્ષ મહેર હોમ્સના સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે ટેક્સ વસૂલવા છતા આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સુવિધાઓનો અભાવ છે.... ગંદા પાણીના ભરાવવાના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા છે.... જોકે બાદમાં મહેર હોમ્સના સ્થાનિકોએ સમગ્ર વિસ્તારમાં નો ટેક્સ, નો વોટના બેનર લગાવી વિરોધ વ્યકત કર્યો.. આ બેનરનો વીડિયો વાયરલ થયા બાદ AUDAએ રસ્તા પર પથ્થર નાંખી કામગીરી કર્યાનો સંતોષ માની લીધો... તો શેલાની પૂનમ પ્રાઈડ સોસાયટીમાં કરોડો રૂપિયાના મકાન બહાર પાક્કા રોડનો જ અભાવ છે.... 8 વર્ષથી અહીં સ્થાનિકો વસવાટ કરી રહ્યા હોવા છતા હજુ સુધી રોડની સુવિધા નથી મળી.... ત્યારબાદ શેલાની અલગ- અલગ સોસાયટીના સ્થાનિકો પ્રાથમિક સુવિધાની માગ સાથે શેલા ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા... જ્યાં વિરોધ વ્યકત કર્યો... ત્યારબાદ ઔડા, AMC, જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ અને આ વિસ્તારના સ્થાનિકો વચ્ચે બેઠક મળી.... જેમાં ઔડા તરફથી ખાતરી આપવામાં આવી કે ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઔડા હવે નવી સ્કીમોને મંજૂરીઓ નહીં આપે.... જે લોકોનું STP કમ્પલીટ હશે તેને જ બીયુ પરમિશન આપવામાં આવશે...