સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા. ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા. જેને લઇને કોગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે એક તરફ લોકોને ઇન્જેક્શન મળી રહ્યા નથી ત્યારે ભાજપ પાસે આટલા પ્રમાણમાં ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેની તપાસ થવી જોઇએ તેવી માંગ કરી હતી.
C.M. સાહેબ, રાજ્યની સવા છ કરોડ જનતાને જવાબ આપો કે, સામાન્ય ગુજરાતીને નથી મળતાં ને C.R. ભાઉ પાસે 5000 ઈંજેક્શન ક્યાંથી આવ્યાં ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2021 11:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App