વાવાઝોડામાં મકાનને નુકસાન પહોંચ્યું હોય તેવા લોકોને કેટલા રૂપિયાની સહાય આપશે રૂપાણી સરકાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 04:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં સવા બે લાખ લોકોને 10 કરોડની કેશડોલ ચૂકવાઈ ગઇ છે. 15 હજાર કુટુંબોને ઘરવખરીના સાત-સાત હજાર રૂપિયા ચૂકવાયા છે. તૌક્તે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.અંશત: નુકસાન પામેલા કાચા - પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. ૨૫,૦૦૦ની સહાય અપાશે.