ગાંધીનગરઃ કોરોના ટેસ્ટ કરાવવા માંગતા લોકોને આરોગ્ય વિભાગે શું આપી મોટી રાહત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Dec 2020 05:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજયમાં કોરોનાના ટેસ્ટને લઈ આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. .રાજયની લેબોરેટરીમાં હવે કોઈ વ્યકિત સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગે તો ડોકટરના અભિપ્રાય કે પ્રિસ્ક્રિપ્શન વગર જ કરાવી શકાશે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરીમાં કોઈ વ્યકિતએ સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવવો હોય તો એમડી ડોકટરની પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હતી. જેની હવે જરૂર નહીં પડે. થોડા દિવસ પહેલા ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટનો ચાર્જ પણ ઘટાડી 800 રૂપિયા કરી દેવાયો હતો.