ગુજરાતમાં લોકડાઉન નથી લાગવાનું પણ 12 મે સુધી 36 શહેરોમાં કોરોના કરફ્યુ લાગશેઃ જાણો ક્યાં નિયંત્રણો મૂકાયાં ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2021 10:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સરકારે કોરોનાના સંક્રમણને અંકુશમા લેવા માટે વધુ સાત શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. આ સાત શહેરોમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરનો સમાવેશ થાય છે. 6 મેથી માંડીને ૧૨ મે સુધી આ કરફ્યુ લાગુ કરવામાં આવશે. આ અગાઉ પહેલા આઠ શહેરોમાં અને પછી ૨૧ શહેરો મળીને કુલ ૨૯ શહેરોમાં રાતના આઠથી સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. હવે વધુ સાત શહેરોના ઉમેરા સાથે ગુજરાતના ૩૬ શહેરો રાત્રિ કરફ્યુ હેઠળ આવી ગયા છે.