Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડામાં સિંચાઇનું પાણી ન મળતાં ધારાસભ્યએ મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે મંત્રી કુવળજી બાવળિયાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અધિકારીઓની કામગીરી પણ સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્ય કલ્પેશ પરમારે અધિકારીઓના આયોજનના અભાવે સ્થિતિ થઈ હોવાનું જણાવ્યું છે.
ધારાસભ્યએ કહ્યું, માતર, વસો અને ખેડા તાલુકામાં કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી. મારો મત વિસ્તાર માતર વિધાનસભા અને મારી બાજુમાં સોજીત્રા વિધાનસભા તે મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે. મારા કાર્યાલય પર ખેડૂતો પાણીની માંગણીઓ કરવા આવે છે. હાલમાં ડાંગરના ધરુંને પાણી ખૂબ જરૂર હોય છે અને તે સિંચાઇના પાણીથી તૈયાર થાય છે. ધારાસભ્યના કહેવા મુજબ, મે પેહલા અધિકારીઓને જાણ કરી અને આયોજન કરવા સૂચન કર્યું પણ કોઈ કામગીરી કરી નહીં. જેથી મારે મંત્રીને પત્ર લખવો પડ્યો અને વેહલી તકે પાણી છોડવામાં આવે તેવી માગણી છે.