કોરોના સંક્રમણને અટકાવવા તમામ લોકોને રસી લેવાની નીતિન પટેલની અપીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2021 03:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્યમાં રસીકરણની (corona vaccination) પ્રક્રિયા પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તમામ લોકોને રસી લેવાની આરોગ્ય મંત્રી નીતિન પટેલે અપીલ કરી હતી. નીતિન પટેલે (Gujarat Deputy Chief Minister Nitin Patel ) રસીકરણને લઈને જણાવ્યું કે રાજ્યના તમામ કોરોના વોરિયર્સનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. સિનિયર સિટીઝનોને પણ રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રાજ્યના અલગ અલગ 2500થી વધુ હોસ્પિટલોમાં વેક્સીન આપવામાં આવશે.