19 માર્ચથી યોજાનારી ધો.9થી 12ની પરીક્ષાને લઇને શું આવ્યા મહત્વના સમાચાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Mar 2021 06:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી 19મી માર્ચથી 27 માર્ચ દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે. જોકે કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. એ મુજબ, કોરોનાના કારણે કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા દ્વારા નવા પ્રશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે. અને જો કોઈ શાળા કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં હોય તો એ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરી શકે છે.