નવા કૃષિ કાયદાને લઈ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને CM રૂપાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવા ત્રણ કૃષિ કાયદાની અસરને લઈ APMC પર ગંભીર અસર જોવા મળી હોવાનો વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે. ધાનાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, નવા 3 કૃષિકાયદાના કારણે APMCના કર્મચારીઓને પગાર નથી મળતા, 8 APMCમાં નવા કાયદાના અમલ બાદ પગાર નથી થયા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો જવાબ આપતા કહ્યું કે, ધાનાણીનું નિવેદન જ ખેડૂત વિરોધી છે. નવા કૃષિ કાયદાની એપીએમસી પર કોઈ અસર થતી ન હોવાનો રૂપાણીએ દાવો કર્યો છે.