'ખેડૂત અવાજ ઉઠાવે, હક્ક માગે, બાળકો માટે શિક્ષણ માગે તો પોલીસ તેમના ઘરમાં જઈને મહિલાઓની પિટાઇ કરે છે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જરાતમાં મોટામાં મોટા ઉદ્યોગપતિઓને જમીનો ભેટમાં આપવામાં આવે છે. ખેડૂતો જો હક્ક માંગે તો પોલીસ તેમની પીટાઈ કરે છે. ગુજરાતમાં ફક્ત 10-15 લોકોનું શાસન છે. પાટીદાર સમાજના લોકો થોડા દિવસ પેહલા મને મળ્યા હતા. પાટીદાર સમાજના બાળકોને શિક્ષણ મળતું નથી. તો બીજા લોકોનું શુ થતું હશે. શિક્ષણ ક્ષેત્રે 10-15 લોકોએ દબાવીને રાખ્યું છે. એ બધા ભાજપ અને મોદીના મિત્રો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં કોઈને ફાયદો થયો નથી. જંગલ અને જમીન આદિવાસીઓના છે. જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓનો અધિકાર છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ પેશા કાયદો લાગુ થવા દીધો નહોતો. કોંગ્રેસની તમામ રાજ્ય સરકારોએ આ નિયમ લાગુ કર્યો હતો. આરએસએસ, ભાજપ આદિવાસીઓને માણસ નથી માનતું એ વાત સાચી છે. કોંગ્રેસની સરકાર આવશે એટલે આદિવાસીઓ ને જળ, જમીન અને જંગલનો હક્ક આપશે.